છેડાલ પરગણા વણકર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

764

છેડાલ પરગણા વણકર સમાજ ગાંધીનગરનો સ્નેહમિલન કાર્યક્રમ તાજેતરમાં ડો.બાબાસાહેબ આંબેડકર હોલ, સેક્ટર-૧૨ ખાતે યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન, નિવૃત્તો તેમજ સરકારી નોકરીમાં નવનિયુક્તો ઉપરાંત સમાજ વરિષ્ઠ પ્રતિભાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાને મધુર ડેરીના ચેરમેન ડૉ.શંકરસિંહ રાણા, મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના ડેપ્યુટી મેયર દિનેશભાઇ મકવાણા જ્યારે અતિથિ વિશેષ તરીકે નડીયાદ સિવિલ જજ કુ. મનીષા મકવાણા, ડેપ્યુટી ક્લેક્ટર પદમીન રાઠોડ, ગાંધીનગરના ડીવાયએસપી એમ.જે.સોલંકી, દાહોદ એસટીએસસી સેલના ડીવાયએસપી હર્ષવર્ધન બેન્કર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleરમેશ પોવારના નિવેદન પર ભડકી મિતાલીઃ મારી દેશભક્તિ પર શંકા કરાઈ
Next articleબીબીઍ કૉલેજના વિદ્યાર્થીઓ આણંદની આર્કોગુલ પ્રા.લીની ઔધોગિક મુલાકાતે