સ્પષ્ટ બહુમતિ નહિં હોય તો પ્રધાનમંત્રી જાહેર કરે કે સરકાર નહી બનાવે : કોંગી નેતાઓના સવાલ

852

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન ગુજરાત હેઠળ આજે સુરતની મુલાકાતે હતા. જેમાં સુરત એરપોર્ટ ખાતે ઁસ્ મોદીએ પૂર્ણ બહુમતની સરકાર બનાવવાની અપીલ કરી હતી.

જેમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલે ટ્‌વીટ કરી ઁસ્ મોદીને સવાલ પૂછ્યા છે. કે ૨૦૧૯ની ચૂંટણીમાં ૨૭૨ બેઠકો આવશે તો સરકાર નહીં બનાવો. જ્યારે ઁસ્ મોદીએ સભામાં કહ્યુ હતુ કે મજબૂત સરકાર મજબૂત નિર્ણયો લે છે. ૨૦૧૪માં તમે મને બહુમતી આપી એટલે જવાબ માંગી શકો છો. ગઠબંધન સરકારોના કારણે દેશનો વિકાસ રૂંધાયો છે. તેમણે સંબોધનમાં જણાવ્યું છે કે ૨૦૧૪ની લોકસભા ચુટણીમાં ભારતીય જનતા પક્ષને પૂર્ણ બહુમતી મળવાના કારણે દેશમાં પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે. પૂર્ણ બહુમતની સરકાર આવવાથી દેશને ત્રિશંકુની ૩૦ વર્ષની બીમારીથી છુટકારો મળ્યો છે. તેમણે જણાવ્યું કે પરિવર્તનનો સમય લોકોના મતની તાકતના કારણે છે. ના કે મોદીની તાકાતને કારણે. પીએમએ કહ્યું કે ૩૦ વર્ષ સુધી દેશમાં જોડ-તોડથી સરકાર ચલાવવાના પ્રયત્નો થતા હતા.

વડાપ્રધાનના નિવેદન અંગે શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી છે. ગોહીલે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કહે છે કે, ગઠબંધનની સરકાર કામ ન કરી શકે. ઁસ્ જાહેર કરી દે કે બહુમતી નહીં મળે તો ગઠબંધનની સરકાર તેઓ નહીં બનાવે.

બિહાર, મહારાષ્ટ્ર અને નોર્થ ઇસ્ટમાં ગઠબંધનથી સરકાર કેમ ચલાવે છે? જમ્મુ કશ્મીરમાં સરકાર ગઠબંધનની શા માટે બનાવી હતી? તેવા સવાલો પણ ગોહિલે વડાપ્રધાન મોદીને કર્યા છે.

Previous articleવડાપ્રધાન મોદીના ભાષણમાં દેખાયો ત્રિશંકુ પરિણામોનો ડર!
Next articleઠંડા પવનથી ૪૦% મોર ખરી પડતા કેસર કેરી મોંઘી મળશે