વલ્લભીપુર મેવાસા ગામે જામફળ લેવા બાબતે પરપ્રાંતીયની હત્યા કરનાર બે શખ્સ ઝડપાયા

783
bvn21122017-1.jpg

વલ્લભીપુર તાબેના મેવાસા ગામે લારીમાંથી જામફળ લેવા બાબતે બે શખ્સોએ પરપ્રાંતીય યુવાનને લાકડી વડે માર મારતાં યુવાનનુ મોત નીપજ્યુ હતું જે બનાવ અંગે પોલીસે એક આરોપીને જે તે દિવસે ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો જ્યારે અન્ય એક આરોપી જે નાસતો ફરતો તેને વલ્લભીપુર પોલીસે નારી ચોકડી પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી છે.
તાઃ ૧૨/૧૨ના  રોજ મેવાસા ગામની સીમ માં ચાલતા કેનાલ નાં કામ ઉપર બિહારી મજુર નિરાલારામ બીન્દેશ્વરરામ રામ ઉ.વ.૩૦ ને શાકભાજી વેચતા ભુપત ઉફે પ્રવિણ બચુભાઇ બોરાણા (રાવળ)  તથા હિતેશ બાબુભાઇ મકવાણા રહે બન્ને મેવાસા તા. વલ્લભીપુર વાળાઓ એ  માર મારતા લીંબડી સરકારી દવાખાને તાઃ ૧૫/૧૨નાં રોજ મરણ જતા વલ્લભીપુર પોલીસ સ્ટેશન માં ખૂન નો  ગુન્હો તાઃ ૧૬/૧૨નાં રોજ  દાખલ થયેલ અને  આરોપી ભુપત ઉફે પ્રવિણ બચુભાઇ બોરાણા (રાવળ)   ને તાઃ૧૬/૧૨નો રોજ અટક કરી જેલ હવાલે કરેલ છે અને એક આરોપી નાસ્તો હોય આ ખૂન નાં ગંભીર ગુન્હાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક એ તાત્કાલીક આરોપી અટક કરવાની સૂચના આપેલ હોય જે અન્વયે  ઁજીૈં  ટી.એસ. રીઝવી તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ , અમીતભાઇ મકવાણા એ  ભાવનગર , નારી ચોકડી થી મળેલ બાતમી આધારે આરોપી નીતેષ ઉફે હિતેશ બાબુભાઇ મકવાણા  ઝડપી લઇ ધોરણસર અટક કરવામાં આવેલ.

Previous articleલાભુભાઈ સોનાણી લિખીત પુસ્તક અંતર્ગત કાલે વકૃત્વ સ્પર્ધા યોજાશે
Next articleઉર્જા બચત સપ્તાહ નિમિત્તે રેલી