ભરતીમાં ભષ્ટ્રાચારઃ શારીરિક કસોટીમાં નાપાસ થયેલા ઉમેદવારને સિલેક્ટ કરતા હોબાળો

518

છોટાઉદેપુર ખાતે હોમગાર્ડની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે ભરતીમાં આવેલ ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો છે. ઉમેદવાર યુવાનોનો આરોપ છે કે, શારીરિક ટેસ્ટમાં નાપાસ થયા હોય તેવા ઉમેદવારોને સિલેક્ટ કરી લેવાયા છે. જ્યારે ટેસ્ટમાં પાસ ઉમેદવારોને બાકાત કરી દેવાતા ભ્રષ્ટાચાર થયો હોવાથી ભરતી રદ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

છોટાઉદેપુર જીલ્લામાં ૧૩૭ હોમગાર્ડ જવાનોની ભરતી કરવાની હોઈ ગત ૨૩ અને ૨૪મીએ છોટાઉદેપુર અને બોડેલી ખાતે ભરતી પ્રક્રિયા માટે શારીરિક કસોટી કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે સિલેક્ટ થયેલા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું. જેમાં છોટાઉદેપુર યુનિટનાં ૮૧ ઉમેદવારોની ભરતી માટે ૪૦૦થી વધુ ઉમેદવારોએ પોતાનું નામાંકન કરાવી ભરતી પ્રક્રિયામાં જોડાયા હતા.

તાલુકા હોમગાર્ડ યુનિટ ખાતે પસંદગી પામેલ ઉમેદવારનાં નામનું જાહેર કરાયેલ લીસ્ટમાં શારીરિક કસોટીમાં નાપાસ થયેલ ઉમેદવારોના નામ જણાતા ભરતી પ્રક્રિયામાં આવેલ અન્ય ઉમેદવારોએ હોબાળો મચાવી હલ્લાબોલ કર્યો હતો.

તેઓનો આરોપ હતો કે આ ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને શારીરિક કસોટીમાં નાપાસ થયેલ ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે જ્યારે તમામ કસોટીઓ પાસ કરનાર ને બાકાત કરી દેવાયા છે. જેથી આ ભરતી પ્રક્રિયાને રદ કરવામાં આવે તેવી માગ ઉઠી હતી.

Previous articleતુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાં ૯ વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો
Next articleમહીસાગરમાં વાઘનું મોત, પીએમ બાદ અગ્નિ સંસ્કાર