ચંદ્રયાન-૨ને આજે લોંચ કરી દેવાશે : તમામ લોકોની નજર

486

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ ચંદ્રયાન-૨ને લઇ જવા માટેની તૈયારી પૂર્ણ કરી લીધી છે. આવતીકાલે બપોરે ૨.૪૩ વાગે ચંદ્રયાન-૨ને રોકેટ મારફતે લોંચ કરવામાં આવશે. જીએસએલવી માર્ક-૩ રોકેટથી ચંદ્રયાનને છોડવામાં આવશે. રોકેટમાં ૩.૮ ટનના ચંદ્રયાન-૨ અંતરિક્ષ યાન છે. પોતાની ઉંડાણના આશરે ૧૬ મિનિટ બાદ ૩૭૫ કરોડ રૂપિયાના જીએસએલવી માર્ક-૩ રોકેટ અને ૬૦૩ કરોડ રૂપિયાના ચંદ્રયાન-૨ અંતરિક્ષ યાનને પૃથ્વી પાર્કિંગમાં ૧૧૭ ગણા ૪૦૪૦૦ કિલોમીટરની પરિભ્રમણ કક્ષામાં મુકશે. જમીન અને ચંદ્રમા વચ્ચે આશરે ત્રણલાખ ૮૪ હજાર કિલોમીટરનું અંતર છે. ચંદ્રયાન-૨નું વચન ૩૨૯૦ કિલોગ્રામ રહેશે. કાર્યક્રમ મુજબ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તેનું ઓર્બિટર, લેન્ડરથી અલગ થઇ જશે. ત્યારબાદ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. સાઉથ પોલની જમીન ખુબ જ સોફ્ટ રહેલી છે જેથી રોવરને મુવ કરવામાં સરળતા રહેશે. રોવરમાં છ ટાયર લાગેલા છે જેનું વજન ૨૦ કિલો છે. રોવર અને ઓર્બિટરમાં અનેક સંવેદનશીલ અતિઆધુનિક સાધનો છે જેમાં કેમેરા અને સેન્સર્સ છે. રોવર પણ અતિઆધુનિક સાધનોથી સજ્જ છે.  ૬૦૩ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ આમા કરવામાં આવ્યો છે. રવિવારે વહેલી પરોઢે ૨.૫૧ વાગે એન્જિનમાં લીકેજના કારણે ચન્દ્રયાન-૨ની ઉંડાણને રોકવાની ફરજ પડી હતી.  ચન્દ્રયાન-૨ને સોમવારના દિવસે વહેલી પરોઢે લોંચ કરવાની યોજના તૈયાર હતી. જો કે છેલ્લી ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતા આ લોંચને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યોહતો. વૈજ્ઞાનિકે માહિતી આપતા કહ્યુ છે કે એન્જિનમાં લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજન ભરવાની કામગીરી દરમિયાન કોઇ તકલીફ થઇ ન હતી. ત્યારબાદ હિલિયમ ભરવાનુ કામ ચાલી રહ્યુ હતુ. અમને ૩૫૦ બાર સુધી હિલિયમ ભરવાની જરૂર હતી. સાથે સાથે આઉટપુટને ૫૦ બાર પર સેટ કરવાની જરૂર હતી. નાના ઉપગ્રહોના લોંચ માટે ઉપયોગ કરવામાં આવતા જીએસએલવી માર્ક-૩ રોકેટને એપ્રિલ ૨૦૦૧થી લઇને હજુ સુધી ૧૩ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાથી ત્રણ જીસેટ-૫પી, જીસેટ-૪, ઇનસેટ-૪સીમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે જીસેટ-૬એ, જીસેટ-૯માં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બાહુબલી તરીકે ગણવામાં આવતા જીએસએલવી માર્ક-૩ રોકેટથી જીસેટ-૨૯ અને જીસેટ-૧૯ ઉપગ્રહોને સફળરીતે લોંચ કરવામાં આવ્યા હતા. ઇસરોના વડા શિવનના કહેવા મુજબ અંતરિક્ષ સંસ્થા ડિસેમ્બર ૨૦૨૧ સુધી નિર્ધારિત સમયમાં જ માનવ અંતરિક્ષ ઉંડાણ કાર્યક્રમ ગગનયાનને સફળ બનાવશે.

Previous articleકર્ણાટક : આજે કુમારસ્વામી વિશ્વાસમત મેળવે તેવા સંકેત
Next articleસરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૧.૪૭ મીટરે પહોંચી