શહેરના રીંગરોડ પરથી દબાણ હટાવતું તંત્ર

727
bvn2822018-17.jpg

શહેરના રીંગરોડ પર ગેરકાયદે ખડકાયેલ દબાણોને ભાવનગર મહાપાલિકાની દબાણ હટાવ સેલ દ્વારા તમામ દબાણોને જમીનદોસ્ત કર્યા હતા.
શહેર ફરતેથી પસાર થતો ૧પ૦ ફુટ રીંગરોડ પર આવેલ વારાહી સોસાયટીમાં કેટલાક આસામીઓ દ્વારા રીંગરોડ વિકાસમાં બાધારૂપ મકાનોને હટાવી લેવા તંત્રએ નોટીસો આપી હતી. આમ છતાં દબાણ કર્તાઓ દ્વારા દબાણો ન હટાવાતા ગઈકાલે ટીમ દબાણ હટાવવા માટે ગઈ હતી પરંતુ સ્થાનિકોના ભારે વિરોધના કારણે ટીમ દબાણ હટાવ્યા વિના પરત ફરી હતી પરંતુ આજરોજ દબાણ હટાવ સેલના અધિકારીઓ તથા કર્મચારીગણ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ સ્થળે પહોંચી લોકોના વિરોધ વચ્ચે પણ અડગ મને કામગીરી આરંભી હતી અને એકાદ કલાકના સમયમાં કોમન પ્લોટમાં ઉભા કરાયેલા કાચા-પાક મકાન તથા દુકાનો પર જેસીબી ફેરવી તમામ દબાણો ધ્વંસ્ત કર્યા હતા. આ કામગીરી સમયે મહિલાઓના ટોળા એકઠા થયા હતા પરંતુ તંત્રએ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

Previous articleશહિદ થયેલ રામભક્તોને વિહિપ દ્વારા શ્રધ્ધાંજલી
Next articleશિક્ષકોના પડતર પ્રશ્નો સંદર્ભે શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત