ભરતનગર ખાતે ચાલતી શિવમહાપુરાણ સપ્તાહમાં સતી પ્રાગટ્યોત્સવ ઉજવાયો

1552
bvn2932018-11.jpg

ભાભા મિત્ર મંડળ-હરીઓમનગર દ્વારા ભરતનગર ક્રિષ્ના રેસીડેન્સી સામે ૧પ૦ ફુટ રીંગરોડ પર શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું પાણીયાળીવાળા કથાકાર સંજયદાસ રામકબીરના વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સતી પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 
કૈેલાસ ધામ ખાતે ચાલતી શિવમહાપુરાણ કથામાં દરરોજ વિવિધ પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દરરોજ બન્ને સમય કથા શ્રવણ કરવા હજ્જારો ભાવિક ભક્તો ઉમટી રહ્યાં છે. આજે કથામાં સતી પ્રાગટ્યોત્સવની ઉજવણી નિમિત્તે બાળાઓને નવદુર્ગાના સ્વરૂપમાં તૈયાર કરાઈ હતી અને નવદુર્ગાના દર્શન કરાવાયા હતા. જ્યારે આવતીકાલે ગુરૂવારે સાંજે શિવવિવાહ તેમજ શુક્રવારે કાર્તિકેય અને ગણપતિ પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવશે. તા.રને સોમવારે કથાની પૂર્ણાહુતિ કરાશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ભાભા મિત્ર મંડળના બટુકભાઈ મકવાણા, જીતુભાઈ ભાલ, અતુલભાઈ ભટ્ટ, દિલીપભાઈ ત્રિવેદી સહિત સભ્યો અને સોસાયટીના લોકો જહેમત ઉઠાવી રહ્યાં છે.

Previous articleસાંખડાસર નર્સરી પાસે આયશર અને સ્કુટર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
Next articleબાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી : ભાવનગરમાં ૭૬% મતદાન