બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી : ભાવનગરમાં ૭૬% મતદાન

921
bvn2932018-16.jpg

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે ભાવનગર ખાતે બન્ને વકિલ મંડળના સભ્યોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યુ હતું. ભાવનગર ખાતે ૭૬ ટકા મતદાન થયું હતું.
ભાવનગર કોર્ટ સંકુલ ખાતે હાથ ધરવામાં આવેલ મતદાન પ્રક્રિયામાં શહેરના બન્ને વકિલ મંડળના નોંધાયેલ ૧૦૩૪ સભ્યો પૈકી ૭૮૯ સભ્યોએ મતદાન કરતા ૭૬ ટકા જેટલું મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાવનગરના અનિરૂધ્ધસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રભાઈ ડાભીએ ઉમેદવારી નોંધાવી હોય, સભ્યોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓને સીલ કરી અમદાવાદ રવાના કરવામાં આવી હતી. આગામી ૭મી એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.

Previous articleભરતનગર ખાતે ચાલતી શિવમહાપુરાણ સપ્તાહમાં સતી પ્રાગટ્યોત્સવ ઉજવાયો
Next articleમ્યુ.સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં વહિવટી તંત્રના પાસ કરેલા વિવિધ ઠરાવો