પાર્થ યુવા મંડળ દ્વારા દિવ્યનગજનો માટે વિનામુલ્યે અનાજ કીટ વિતરણ

556

પાર્થ યુવા મંડળ ભાવનગર દ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિમાં ૮૦ દિવ્યાંગજનોને પાર્થ યુવા મંડળ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ, આ અનાજની કીટનાં દાતાઓ, સમીરભાઇ ભાયાણી, હિરલબેન ભાયાણી, આશાબેન ભાયાણી એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પોતાનાજ વરદ હસ્તે આ દિવ્યંગોને અનાજની કીટનું વિતરણ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પાર્થ યુવા મંડળના ટ્રસ્ટીઓ પ્રમુખ મેહુલભાઇ બુધેલીયા, મનસુખભાઇ સોલંકી, મેહુલભાઇ વિસાણી, હરિરાજભાઇ પંચાલ તથા અશ્વિનભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસીટી બસના રૂટ શરૂ કરવા માંગણી
Next articleપુલવામામાં સેના સાથે અથડામણમાં ૫ આતંકી ઠાર, ૧ જવાન શહીદ