શ્રાવણના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભક્તિનું ઘોડાપુર

995

શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં આવેલા તમામ શિવમંદિરોમાં ભકતો દ્વારા પૂજા-અર્ચના-પ્રાર્થના કરવામાં આવી હતી. શ્રાવણ માસ આવે ત્યારે અને તેમાંય સોમવારે ભોળાનાથને રીજવવા રીતસરની હોડ લાગી હોય તેમ મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતા. ગાંધીનગરમાં સેકટરની સંખ્યા કરતાં જો કે શિવમંદિરની સંખ્યા પણ વધારે છે જેથી ભકતોને નજીકમાં જ શિવમંદીર મળી રહે તેવી અનોખી વ્યવસ્થા પણ શહેરમાં જોવા મળે છે.

Previous articleસ્કુલનાં બાળકોને રોડ સેફ્‌ટીનાં નિયમો અંગે સમજણ અપાઇ
Next articleલોહાણા યુવા સંગઠન, ગાંધીનગર દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરાયું