આગામી સત્રથી લાગુ થશે નવી શૈક્ષણિક નીતિ : પાસ-નાપાસ ફરી શરુ

590

કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ રાજ્યમાં અત્યારે ધો.૧થી૮માં હાલનો ડિટેન્શન પોલિસી એટલે કે વિદ્યાર્થીને નાપાસ નહીં કરવાની નીતિ અમલમાં છે. જેને કારણે વિદ્યાર્થીનું પરિણામ ખૂબ જ નબળુ હોય તો પણ તેને પાસ કરીને આગળના ધોરણમાં મોકલવામા આવે છે. આ માટે કેન્દ્ર સરકાર આરટીઈ એક્ટમાં સુધારો કરવા માટે વિધેયક રજૂ કરાયુ છે. આ વિધેયકને લોકસભા બાદ રાજ્યસભામાં પણ મંજૂરી મળી જતા હવે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ડિટેન્શન પોલિસી લાગુ થશે. હવે ધો.૫થી ૮માંજ વિદ્યાર્થીઓ પોતાની મહેનતથીના પરિણામે જ પાસ કે નાપાસ થશે.

વર્ષ ૨૦૦૯માં યુપીએ સરકારે આરટીઈ એક્ટ હેઠળ ધોરણ ૧થી ૮માં પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની જોગવાઈ કરી હતી. આવી નીતિને કારણે બાળકોનું શૈક્ષણિક સ્તર નબળું રહેતું હોવાની રજૂઆત ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં એન.ડી.એ. સરકારને કરી હતી. નાપાસ નહી કરવાની જોગવાઈના કારણે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા બગડતી હતી તેવી વારંવાર રજૂઆતો કરાઈ હતી. ભારત સરકારે ગુજરાત સરકારની આ રજૂઆતને ધ્યાને રાખીને ધોરણ ૫ અને ૮માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરાશે તેવો આરટીઈ એક્ટ હેઠળ સુધારો લાવતો ખરડો સંસદમાં રજૂ કરાયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૮માં તેને મંજૂર કરાયો હતો.

આ ખરડાને હવે રાજ્યસભામાં પણ મંજૂરી મળી છે. આમ સંસદના બંને ગૃહોમાં આ વિધેયક દાખલ કરી પસાર કરવા બદલ શિક્ષણ મંત્રી ચૂડાસમાએ ભારત સરકાર અને માનવ સંશાધન વિકાસ મંત્રીનો ગુજરાત સરકાર વતી આભાર માન્યો હતો. આ અંગે ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિહ ચુડાસમાએ કહ્યું કે, ‘ભારત સરકારે ગુજરાત સરકારની રજૂઆતને ધ્યાનમાં લઇને ધો. ૫ અને ધો. ૮ની પરીક્ષામાં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે તેવો આર.ટી.ઇ.એકટમાં સુધારો લાવતો ખરડો સંસદમાં સપ્ટેમ્બર-૨૦૧૮માં રજૂ કર્યો હતો. જેને હવે રાજયસભામાં પણ મંજૂરી મળી ગઇ છે.

Previous articleકુંભમેળા માટે એર ઈન્ડિયા દ્વારા ૧૩ જાન્યુ.થી ૩૦ માર્ચ સુધી વિમાની સેવા શરૂ
Next articleઅછતગ્રસ્ત વિસ્તારોમાં ૧૦ જાન્યુ. સુધીમાં સહાય પહોંચશે