ગંદા પાણીથી ખેતી કરવામાં ભારત અગ્રીમ સ્થાને, રાજ્યમાં મબલક ઝેરી શાકભાજીનું ઉત્પાદન

435

ગંદા પાણીથી ખેતી કરતા દેશોમાં ભારતનો પ્રથમ પાંચમા સમાવેશ થયો છે.

ભારત સહિતના પાંચ દેશો ગંદા પાણીથી ખેતી કરવામાં અગ્રીમ સ્થાને છે. ’એન્વાયરમેન્ટ રિસર્ચ’ પત્રિકામાં આ સર્વે પ્રકાશિત થયો છે. ભારત ઉપરાંત ચીન, પાકિસ્તાન, મેક્સિકો અને ઈરાનો પ્રથમ પાંચ દેશોમાં સમાવેશ થયો છે. હવે અમદાવાદ મહાનગર પણ ધીમે-ધીમે દુષિત પાણીથી શાકભાજીની ખેતી અને પકવ્યા બાદ વેપાર પણ થઈ રહ્યો છે.

ગટરના ગંદા પાણીની દુર્ગંધથી માથુ ફાટી જાય તેવા પાણીથી અમદાવાદમાં કેટલાક ખેડૂતો ખેતી કરી ઝેરી શાકભાજીનું મબલખ ઉત્પાદન કરી રહ્યા છે. અમદાવાદનાં છેવાડે આવેલા ત્રિકમપુરા પાટિયા પાસે બરોડા એક્સપ્રેસ વે પાસે ખારીકટ કેનાલનાં કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવામાં આવી રહી છે. ગંદા પાણીથી ખેતી કરવાથી લાખો લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉત્પન્ન થાય છે.

અમદાવાદ શહેરમાં ગંદા પાણીથી થઈ રહેલી ખેતીનું પ્રમાણ વધતું જાય છે. ખેડૂતો ગટરના પાણીમાં પરવેલ, તુરીયા, ભીંડી, રીંગણા, ટામેટા, કાકરી જેવા શાકભાજીની ખેતી કરે છે. ગટરના પાણીને સ્વચ્છ કર્યા વગર જ તેનો સિંચાઈ માટે થઈ રહેલો ઉપયોગ ખતરારૃપ છે. ખેડૂતો કહે છે કે, ખેતી માટે પાણીની વ્યવસ્થા નથી એટલે ગંદા પાણીથી ખેતી કરવી પડે છે.

વધુ પાણીની જરૂર પડતી હોય તેવા શાકભાજી અને ફળો માટે પણ ગંદા પાણીથી સિંચાઈ થતી હોવાનું સામે આવ્યું છે. શાકભાજીનાં વિક્રેતાઓ પણ માને છે કે, ગંદા પાણીમાં પાકને પોષણ કરતા તત્ત્વો વધારે હોવાની માન્યતાથી પ્રેરાઈને પણ ખેડૂતો ગંદા પાણીનો ઉપયોગ વધુ કરે છે. મોટાભાગે ખેડૂતોને ગંદા પાણીથી સિંચાઈ કરવાના કારણે નાગરીકોને ઝેર ભેટમાં આપી રહ્યા છે.

Previous articleપ્રજાનાં પૈસે કોર્પોરેશન ૮ નવી કાર ખરીદશે, કોંગ્રેસનો વિરોધ
Next articleટ્રકમાંથી પોલીસે ૧૧.૧૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો