કચરાની ગાડીએ યુવકને અડફેટે લેતા મોત, લોકોએ તોડફોડ કરી

428

પંચમહાલના શહેરા પાસે કારની અડફેટે અંબાજી દર્શનાર્થે જઈ રહેલા ત્રણ પદયાત્રીઓના મોત થયાની ઘટના બની છે ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં મહાનગર પાલિકાની કચરો ઉપાડી ગાડીએ યુવકને અડફેટે લીધો હતો.

જેના પગલે તેનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ કચરા ગાડીમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના ડીંડોલી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની કચરો ઉઠાવતી ગાડીએ યુવકને અડફેટે લીધો હતો.

કચરા ગાડીની અડફેટે લેવાથી ગંભીર ઇજાઓ થતાં યુવકનું મોત નીપજ્યું હતું. જોકે, ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ કચરા ગાડીઓમાં તોડફોડ કરી હતી. આમ એસએમસીની બે કચરા ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

Previous articleબન્ને પુત્રોને મોતને ઘાટ ઉતારી માતાએ આપઘાત કરી લીધો
Next articleગોધાણી ઈમ્પેક્સમાંથી ૧૦૦ રત્નકલાકારોને છૂટા કરતા રોષ, કલેકટર ઓફિસે ધરણાની ચિમકી