રાજ્યભરમાં છઠ મહાપર્વની ઉજવણી

622

રાજ્યભરમાં આજે છઠ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમના કેબિનેટ સાથીઓની સાથે પૂજામાં જોડાયા હતા. સાબરમતી નદીના કિનારે પૂજા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ઉમટી પડ્યા હતા. રૂપાણીની સાથે સાથે પૂજામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મહેસુલમંત્રી કૌશિક પટેલ, અમદાવાદના મેયર બીજલ પટેલ પણ જોડાયા હતા. બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં દિવાળી બાદ છઠ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. આ વખતે પહેલાથી જ જોરદાર તૈયારી કરવામાં આવી હતી. ઇન્દિરા બ્રિજ નજીક જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી નદીના કિનારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના મૂળ નિવાસી લોકોના લોકઆસ્થાના મહાપર્વ છઠને લઇને હાંસોલ સ્થિત ઇન્દિરા બ્રિજ નીચે જોરદાર તૈયારી કરવામાં આવી હતી. આજે સાંજે આની ઉજવણી છ વાગ્યા પછી શરૂ થઇ હતી. છઠ મહાપર્વને ધ્યાનમાં લઇને છઠ મહાપર્વ સમન્વય સંઘના અમદાવાદના અધ્યક્ષ મહાદેવ ઝા અને ઉપાધ્યક્ષ કનૈયા પાઠકના નેતૃત્વમાં હાંસોલ સ્થિત ઇન્દિરાબ્રિજની નીચે અને છઠ પર્વ સાર્વજનિક ટ્રસ્ટ મેઘાણીનગર તરફથી શાહીબાગ કેન્ટોનમેન્ટ નજીક દશામા મંદિર નજીક સાબરમતી નદી પર તમામ લોકોની સુવિધાના પગલા લેવામાં આવ્યા હતા.

મહાદેવ ઝાએ કહ્યું હતું કે, તમામ પ્રકારની તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. અમદાવાદમાં ઇન્દિરાબ્રિજ હાંસોલ પાસે સાબરમતી નદીના કિનારે મહાપર્વની ભવ્ય ઉજવણી સાંજે પાંચ વાગે શરૂ થઇ ગઈ હતી. આ અવસર પર પ્રવાસન વિભાગ તરફથી ૧૧ કરોડની ફાળવણી સાથે તૈયાર કરવામાં આવેલા ૩૦૦ મીટરના છઠ ઘાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપર્વની ઉજવણીમાં જોડાયા હતા. છઠ મહાપર્વના અવસર પર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ચાર દિવસીય મહાપર્વની ઉજવણીના બીજા દિવસે સોમવારના દિવસે વ્રત કરનાર લોકો ખરનાના વ્રતની ઉજવણી કરે છે. સાંજે સૂર્યાસ્ત બાદ સ્નાન કરીને સિવડાવ્યા વિના વસ્ત્રો ધારણ કરે છે. સાથે સાથે ઘરમાં બનાવવામાં ઓલા પૂજા સ્થળને ગંગાજળથી પવિત્ર કરવામાં આવે છે. એજ દિવસે પ્રસાદ બનાવવામાં આવે છે. ત્યારબાદ ૩૬ કલાકના વ્રતની શરૂઆત થાય છે. આજે સાંજે ઉપવાસ કરનાર લોકોએ સૂર્યદેવને અધેર આપે છે. એજ દિવસે એટલે કે આજે સૂર્યને અર્ધ આપ્યા બાદ તેને પોતાના ઘરે લઇ જાય છે અને ઘરને પવિત્ર કરે છે. આવતીકાલે બુધવારે વહેલી સવારે શ્રદ્ધાળુઓ ફરી નદીના કિનારે પહોંચશે અને સ્નાન કરીને સૂર્યને અર્ધ આપશે. આની સાથે જ ચાર દિવસીય છઠ મહોત્સવની પૂર્ણાહૂતિ થશે.

છઠ પૂજા માટે તૈયાર ઘાટનું મુખ્યપ્રધાન દ્વારા લોકાર્પણ

છઠ પૂજા માટે તૈયાર કરવામાં આવેલા આકર્ષક ઘાટનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના લોકોને છઠ પ્રસંગે મુખ્યમંત્રીએ મોટી ભેંટ આપી હતી. મુખ્યમંત્રીએ શહેરમાં હાંસોલ સ્થિત ઇન્દિરાબ્રિજની નીચે પૂજા માટે તૈયાર કરવામાં આવેલા ઘાટનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમની સાથે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળીને અઢી કિલોમીટર લાંબા છઠ પૂજા ઘાટને તૈયાર કરવામાં આવ્યો છે. રૂપાણીએ ગયા વર્ષે ગુજરાતમાં રહેનાર બિહારીઓની છઠ પૂજા માટે આની જાહેરાત કરી હતી. ૧૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ ઘાટને લઇને શ્રદ્ધાળુઓ છેલ્લા ઘણા સમયથી ઇંતજાર કરી રહ્યા હતા. ઇન્દિરા બ્રિજ પર છઠ પૂજાનું આયોજન દર વર્ષે શાનદારરીતે કરવામાં આવે છે. નવનિર્મિત ઘાટ પર આશરે ૧૦૦૦ છઠવ્રત કરનાર લોકો નદીમાં પૂજા માટે ઉભા થઇ શકશે. છેલ્લા ૧૫ વર્ષથી અહીં છઠ પુજાનું આયોજન કરવામાં આવે છે. ઘાટનું નિર્માણ થયા બાદ હવે વધુને વધુ લોકો ઉજવણીમાં ભાગ લઇ શકશે. ગુજરાત તરફથી છઠ પુજાના અવસર પર ઉત્તર ભારતીય લોકોને મોટી ભેંટ મળી ગઈ છે. ૧૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ ઘાટનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ આજે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ દેખાયો હતો. આ ઘાટની લંબાઈ ૩૦૦ મીટરની આસપાસ છે. શહેરમાં રહેતા છત્તીસગઢ, બિહાર અને પૂર્વીય ઉત્તરપ્રદેશના લોકો અહીં દર વર્ષે છઠ મહાપર્વની ઉજવણી કરે છે. ભારે ભીડ અને લોકોની આસ્થાને ધ્યાનમાં લઇને મહાનગરપાલિકા અને ટ્યુરિઝમ વિભાગ દ્વારા આકર્ષક ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે. મેયર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleરેલ્વે તંત્ર બનશે પેપરલેસ, તમામ સર્ક્યુલર હવે ડિજિટલ
Next articleફ્લિપકાર્ટ સીઈઓ બિની બંસલનું રાજીનામુ