ડાકોર સહિત ૨૫ મંદિરમાં ઓનલાઈન દાન આપી શકાશે

723

ડાકોરના સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિરના ભક્તોને દાન કરવાની ઓનલાઈન સુવિધા પૂરી પાડવા માટે એચડીએફસી બેંક લિમિટેડે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ સાથે સહયોગ કર્યો છે.આજથી શરૂ કરીને  ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરના ભક્તો કોઈ પણ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અથવા તો નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને  કોઈપણ સમયે, કોઈપણ સ્થળેથી  ઝડપથી, સમયસર  અને સુગમતાપૂર્વક દાન કરી શકશે. રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ સાથે કરાયેલા વિશેષ જોડાણના ભાગ રૂપે એચડીએફસી બેંક લિમિટેડ આરટીજીએસ, નેફટ, અને ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર મારફતે દાન માટે ઈલેક્ટ્રોનિક કેશ મેનેજમેન્ટ પ્લેટફોર્મ પૂરૂ પાડશે. ભક્તો www.ranchhodraiji.org/donation.html ઉપર ક્લિક કરીને દાન કરી શકશે.ગુજરાતના ખેડા જિલ્લામાં ડાકોરમાં ૧૭૭૨માં સ્થપાયેલું રણછોડરાયજીનુ મંદિર ટોચનુ યાત્રાધામ છે.  અહી દુનિયાભરમાંથી ભક્તો આવે છે અને રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજના આશીર્વાદ મેળવવા માટે પધારે છે. એચડીએફસી બેંકના ઝોનલ હેડ પર્લ સાબરવાલાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે રણછોડરાયજી મહારાજ મંદિરટ્રસ્ટના ઓનલાઈન દાનની સુવિધા ઉપલબ્ધ કરવા માટે અમારી પાર્ટનર તરીકે પસંદગી કરાઈ તેનું અમને ગૌરવ છે.

આ સહયોગને કારણે  એચડીએફસી બેંકની સલામત ડિજિટલ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને દુનિયાભરમાં ફેલાયેલા ભગવાનના લાખો ભક્તો સુગમતાથી દાન કરી શકશે. એચડીએફસી બેંકના પેમેન્ટ ગેટવે નો ઉપયોગ કરીને  ટેકનોલોજીની મદદ વડે અમે ભક્તો માટે આ કામગીરીને ઝડપી અને સરળ બનાવી છે. ડાકોર મંદિર ઉપરાંત ભક્તો ગુજરાતમાં આવેલાં અન્ય ૨૫ ધાર્મિક સ્થળોએ તથા દેશની ૧૦૦થી વધુ સંસ્થાઓને ચૂકવણી કરી શકશે.

Previous articleરાજ્યમાં આટલાં બધાં ગુનેગારો ફરાર, ઝડપી લેવા CMનો આદેશ
Next articleસોમવારથી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમાનો પ્રારંભ