વડાલ ગામ નજીક વન ટ્રેકર પર સિંહે હુમલો કરતા ગંભીર

875

પાલીતાણાના વડાલ ગામ પાસે આવેલ એનિમલ કેર સેન્ટરમાં સિંહે વન વિભાગના કર્મચારી પર હુમલો કરતા ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલીતાણાના વડાલ ગામ નજીક આવેલ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલ જેસરના જંગલ વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતે મળી આવેલ સિંહને ખોરાક આપવા માટે ગયેલ વન વિભાગના ટ્રેકર ગીલાભાઇ નાનુભાઇ ડોડીયા પર સિંહે હુમલો કર્યો હતો. સિંહે કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત ગીલાભાઇને સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Previous articleકચ્છના પ્રાગપુરમાં અહિંસાધામ પશુરક્ષા કેન્દ્ર ખાતે યોજાશે મોરારી બાપુનો પ્રેમયજ્ઞ
Next articleધો.૧૨ સા.પ્ર.માં બે વિષયની પૂરક પરીક્ષા આપવા દેવાની માંગ સાથે આવેદન અપાયું