વન્ય પ્રાણી સપ્તાહ ૨૦૧ અનુસંધાને ભાલ વિસ્તારની ગ્રામ સભાઓમાં લોક જાગૃતિ કાર્યક્રમો

250

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના મરિન સાયન્સ ભવન તથા કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ઉદ્યાનની આજુબાજુના ગામોમાં વન્ય જીવ પ્રત્યે સ્થાનિક લોકોમાં સંવેદના તથા સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવાય તેવા ઉમદા હેતુએ વન્ય જીવ સપ્તાહ અનુસંધાને લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા , જેમાં ખાસ કરીને રાજગઢ અને વેળાવદર ગામમાં તા .૦૯ / ૧૦ / ૨૦૧ ના રોજ યુનિવર્સિટીના મરિન સાયન્સ ભવનમાં અભ્યાસ કરતા ભાલ વિસ્તારના જ વતનીએવા વિધાર્થીઓ દ્વારા ગ્રામજનો સમક્ષ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનની મુખ્ય વન્ય જીવ સૃષ્ટિ વરૂ , ખડમોર , હૅરિયર વગેરે વિષે ખુબ જ સુંદર પ્રેજન્ટેશન તૈયાર કરી તથા ડોક્યુમેન્ટ્રી ફિલ્મો દ્વારા સ્થાનિક લોકોને અપડે તેવી લોકબોલીમાં આ દુર્લભ જીવ સૃષ્ટિની જાળવણીની આવશ્યકતા વિષે માહિતગાર કરવામાં આવ્યા . ગામના સરપંચશ્રીઓ અન્ય આગેવાનો અને તમામ ગ્રામજનોએ ખુબ ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમને માણ્યો પ્રવર્તમાન પરિસ્થિતિમાં વન્ય જીવોની જાળવણીના મહત્વ વિષે તથા નાર જેવા શિકારી પ્રાણી વિષે પ્રવર્તતી ગેરમાન્યતાઓ વિષે ભાલ વિસ્તારના વિધાર્થીઓ દ્વારા સુંદર રજૂઆત થતા ગામલોકોએ આ કાર્યક્રમને સહર્ષ આવકર્યો હતો . આ કાર્યક્રમમાં મરિન સાથના ભવનના અધ્યક્ષ પ્રો.ખાઈ આર ગઢવી તથા કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વન સંરક્ષક શ્રી એમ.એચ.ત્રિવેદીના માર્ગદર્શનમાં કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન ના રેન્જફોરેસ્ટ ઓફીસર ડી.જી.ગઢવી , રાઉન્ડ ફોરેસ્ટર એમ . પી . ચુડાસમા , જે.બી.ચુડાસમા તથા ભવનના વિધાર્થીઓ જયકુમાર શહોય અને હાર્દિક સેતાએ કાર્યક્રમને ફળ બનાવવામાં જેહમત લીધી હતી .

Previous articleરાજપરાના ખોડિયાર મંદિરે મંત્રી આર.સી. મકવાણાની ઉપસ્થિતીમાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો
Next articleજામીન પર છુટી ફરત ન ફરતા ડબલ મર્ડરના આરોપીને ઝડપી લેતી એલસીબી