રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીને ભાવનગર એરપોર્ટ ખાતે આવકારતાં રાજ્યપાલ તથા મહાનુભાવો

343

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજે ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે આવી પહોંચતાં તેમનું ભાવનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, મેયર કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, કલેક્ટર યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં બાદ એરફોર્સના વિશેષ હેલિકોપ્ટરમાં ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં તલગાજરડા ગામ ખાતે જવાં રવાના થયાં હતાં.

Previous articleરાષ્ટ્રપતિના હસ્તે આવાસ યોજનાના મકાનની ચાવી મળી તેનો અનેરો આનંદ છે
Next articleભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત ‘ચિત્રકૂટ ધામ’ની મુલાકાત લેતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી