સિહોરથી વલભીપુર જતા મજૂરો ભરેલા વાહને પલટી ખાધી, ૧૫ જેટલા ખેત શ્રમિકોને નાની-મોટી ઈજાઓ

128

ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા : ૬ જેટલી ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી, સદભાગ્યે મોટી જાનહાની ટળી : મજૂરો વલભીપુર ખેત મજૂરી માટે જઈ રહ્યાં હતાં તે સમયે અકસ્માત સર્જાયો
ભાવનગર જિલ્લાના સિહોરમાં આજે બુધવારે સવારે ૨૫થી ૩૦ જેટલાં ખેત મજૂરો મહિન્દ્રા પીકઅપ વાનમાં બેસી વલભીપુર તાલુકાના મોણપુર ગામે ખેત મજૂરીએ જઈ રહ્યાં હતાં. તે સમયે વાહન રોડ સાઈડમાં અકસ્માતે પલ્ટી ખાઈ જતાં ૧૫ જેટલા ખેત શ્રમિકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી,

સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોરમાં રહેતા ૩૦ જેટલાં મજૂરો દરરોજના ક્રમ મુજબ આજે મંગળવારની સવારે મહિન્દ્રા પીકઅપ વાહનમાં બેસી વલભીપુર તાલુકાના મોણપુર ગામે ખેત મજૂરીએ જવા રવાના થયા હતા. દરમિયાન મહિન્દ્રા પીકઅપના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા વાહન રોડ સાઈડમાં પલ્ટી ખાઈ જતાં ૧૫ મજૂરોને નાનીમોટી ઈજા પહોંચી હતી. આથી ઈજાગ્રસ્તોને ૬થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે પ્રથમ સિહોર હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી.

Previous article“મહિલા આરોગ્ય જાગૃતિ” સેમિનારનું આયોજન
Next article૧૫ થી ૩૧ ડિસે.ના રોજ શહેરના પ્રત્યેક મંડલમાં પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગેની બેઠક યોજાએલ