શહેરમાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો

91

એક્ટિવ કેસની સંખ્યા ૪ પર પહોંચી : જિલ્લો કોરોનામુક્ત થયા બાદ ફરી એકવાર નવા કેસ નોંધાયા
ભાવનગર શહેરમાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો હતો, શહેર વિસ્તારમાં એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, હવે શહેરમાં ત્રણ કોરોના પોઝિટિવ દર્દી રહ્યા અને ગ્રામ્યમાં એક કોરોના પોઝિટિવ દર્દીઓ રહ્યા છે.આમ ભાવનગરમાં સતત ત્રીજા દિવસે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. થોડા દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા શૂન્ય થઈ ચૂકી હતી.
પરંતુ, ત્યારબાદ ફરી એકવાર નવા કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા ૪ પર પહોંચી ચૂકી છે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૭૨ કેસ પૈકી હાલ ૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૯૮ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleભાવ.ડીવીઝનના ૫ રેલ કર્મી.ઓને સલામતી ક્ષેત્રે સારી કામગીરી બદલ પુરસ્કૃત કરાયા
Next articleખોડિયાર મંદિર નજીક ક્રેઇને બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત