ભાવનગરના શિશુવિહાર સંસ્થાના પટાંગણમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

109

152 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર લીધી
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે વિના મૂલ્ય નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ સુનિલ વડોદરીયાનાં પિતા સ્વ.ગુણવંતભાઈ વડોદરીયા સ્મરણાર્થે શિશુવિહાર સંસ્થામાં 428મો નેત્રયજ્ઞ યોજાયા બાદ અશ્વિન ભટ્ટ (અમદાવાદ) સૌજન્યથી 429 મો નેત્રયજ્ઞ આજરોજ શુક્રવાર શિશુવિહાર પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 152 દર્દીઓની આંખ તપાસ ડૉ.શુભમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જે તમામને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે 34 દર્દીઓને એટેડન સાથે ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા હતા. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968 થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.

Previous articleભાવનગરમાં ‘આઝાદી અને સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેને લગતા વિષયો’ સંબંધિત 1000 જેટલાં પુસ્તકોનું પ્રદર્શન યોજાયુ
Next articleભાવનગરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખાદ્ય ખોરાકની તપાસ માટેની ચેકિંગ વાનનું લોકાર્પણ કર્યું