GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

162

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૯૮. આપેલ કહેવતનો અર્થ શોધો ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’
– કપોળ કલ્પનામાં રાચવું.
ર૯૯. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
– મોંસૂઝણું
૩૦૦. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો
– A-4, B-2, C-1, D-3
૩૦૧. નીચે આપેલા વાકયોમાંથી સાદા વાકયો છુટા પાડો. હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે.
– હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
૩૦ર. નીચેના શબ્દસમુહ માટે કયો સામાજિક શબ્દ યોગ્ય નથી ?
– હું પણાનો ભાર : સ્વાભિમાન
૩૦૩. નીચેના શબ્દોમાંથી કયુ શબ્દજુથ શબ્દકોશના ક્રમમાં છે ?
– ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
૩૦૪. આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : ‘પડો વજાડવો’
– જાહેરાત કરવી
૩૦પ. ‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાકયમાં કયો અલંકાર છે ?
– ઉત્પ્રેક્ષા
૩૦૬. નીચેના વાકયમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. ‘મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.’
– તૃતીયા તત્પુરૂષ
૩૦૭. ‘કલ્પવૃક્ષ જો કરી ખાય, તેનો ચોર પૈદા ન થાય’ – રેખાંકિત પદનો સમાસ ઓળખાવો.
– મધ્યમપદલોપી સમાસ
૩૦૮. નીચેના વાકયમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિહ્ન મુકાશે ? મારૂ ધ્યાન દોરવા તેણે કહ્યું ‘સાભળો છો ? ’
– ગુરૂવિરામ
૩૦૯. ‘અન્તઃપુર’ શબ્દનો સમાનાર્થ ?
– રાણીવાસ
૩૧૦. કહેવતનો અર્થ આપો : ‘હૈયે તેવુુ હોઠે’
– વિચાર તેવી વાણી
૩૧૧. શબ્દસમુહ માટે એક શબ્દ આપો : ‘કોઈની પણ મદદ ન લેનાર’
– સ્વાવલંબી
૩૧ર. નીચેનામાંથી કઈ કહેવત નથી ?
– જીવ હેઠો બેઠો
૩૧૩. ‘પલાખુ’ શબ્દમાં કયો અર્થ છે ?
– આકંનો પાડાનો પ્રશ્ન
૩૧૪. ‘મામાનું ઘર કેટલે દીવો બળે એટલે’ – કહેવતનો અર્થ
– વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી
૩૧પ. ‘મહેનત’ સંજ્ઞાનો પ્રકાર દર્શાવો
– ભાવવાચક
૩૧૬. ‘જેના ભાગ્યમાં જે સમયે જ લખ્યુ તેને તે સમયે તે જ પહોંચે’ – આ ઉકિત કોની છે ?
– નરસિંહ મહેતા
૩૧૭. ‘સત્યના પ્રયોગો’ કોની આત્મકથા છે ?
– મહાત્મા ગાંધી
૩૧૮. અંધારી ગલીમાં સફેદ ટપકાંની રચના કોના દ્વારા કરવામાં આવી છે ?
– હિંમાંશી સેલત
૩૧૯. ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?
– નવનીત સમર્પણ
૩ર૦. ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા અર્થ શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા કરવામાં આવ્યું છે ?
– ગુજરાત વિદ્યાપીઠ
૩ર૧. મહાકવીનું બિરૂ મેળવનાર મધ્યયુગના ગુજરાતી આખ્યાનકાર કોણ હતા ?
– પ્રેમાનંદ
૩રર. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ?
– કરણઘેલો
૩ર૩. ભીષણ દુષ્કાળને નિરૂપતી ગુજરાતી નવલકથા કે જેના ઉપરથી ફીલ્મ બનેલ છે તે છે……
– માનવીની ભવાઈ
૩ર૪. ‘ગુજરાતી લઘુકથાના જનક’ તરીકે કોને ગણવામાં આવે છે ?
– મોહનભાઈ પટેલ

Previous articleધોનીનાં અનોખા રેકોર્ડને તોડવાની પંતની પાસે તક
Next articleકોરોના નિયંત્રણ માટે ૧૦ રાજ્યોમાં મલ્ટિ-ડિસિપ્લિનરી ટીમો મોકલાશે