શિશુવિહાર પ્રાંગણમાં ૭૩મો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

86

શિશુવિહાર ખાતે ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવનગર ગુરૂદ્વારા સમિતિના સ્થાપક પરિવારજન ગુલાબસિંહ જેઠડાના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયેલ આ સમયે ક્રીડાંગણના તાલીમાર્થીઓની બેન્ડ સલામી સાથે મોંઘીબેન બધેકા બાલમંદિર દ્વારા ૭૮મા અનુભવ તાલીમ વર્ગની ૫ શિક્ષિકા બહેનોને પ્રમાણપત્ર અને રૂપિયા ૧૬,૦૦૦ કોલરશીપથી પ્રોત્સાહિત કરવામાં આવી. સંસ્થાના ટ્રસ્ટી ઇન્દિરાબેન ભટ્ટ, શબનમબહેન કપાસી, ડૉ મનીષભાઈ વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા માન્ય કરાયેલ ૯ ગવર્નર સ્કાઉટનું વિશેષ અભિવાદન કરાયું. આ ઉપક્રમે ૧૫ સીવણ તાલીમાર્થી બહેનો તેમજ તેમના શિક્ષક ગુલાબબા ગોહિલનું વિશેષ અભિવાદન થયું. શિશુવિહાર પ્રાંગણમાં છેલ્લા ૮૪ વર્ષથી ચાલતી સર્વાંગી તાલીમનું સંકલન હરીશભાઈ ભટ્ટ તથા કમલેશભાઈ વેગડે કર્યું હતું.

Previous articleઆજે ભાવનગરમાં ૨૬૩ નવા કોરોનાના કેસ નોંધાયા, ૬૨૦ કોરોનાને માત આપી, જયારે ૨ના મોત
Next articleસિહોરની સંસ્કૃતિ સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી