ભાવનગર શહેરના સંસ્કાર મંડળ પાસે આવેલ ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર યુવક મિત્ર મંડળ દ્વારા ખોડિયાર જયંતિ-માઁ ખોડિયાર પ્રાગટ્ય દિન નિમિત્તે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં અને યજ્ઞમાં આહૂતિ સાથે માતાજીની આરતી પૂજાનો લ્હાવો લીધો હતો.