પંડિત દીનદયાળજીની પુણ્યતિથિના રોજ “સમર્પણ દિન” નિમિતે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી કાળીયા બીડ ખાતે માઈક્રો ડોનેશન કરાવશે.

90

અભિન્ન માનવતાવાદની સંકલ્પના જેમને વિચારી હતી, તેમજ એકાત્મ માનવતાવાદના પ્રણેતા એવા પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ તારીખ ૧૧-૦૨-૨૦૨૨ ના રોજ છે ત્યારે તેમની પુણ્યતિથી અર્થાત “સમર્પણ દિન” ના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી શિવશક્તિ રેસિડેન્સી, ડાયમંડ પાર્ક, વિરાણી સર્કલની બાજુમાં, કાળીયા બીડ ખાતે તારીખ ૧૧-૦૨-૨૦૨૨ અને શુક્રવારના રોજ સવારે ૧૦-૩૦ થી ૧૧-૦૦ કલાકે માઈક્રો ડોનેશન કરાવશે, જેમાં ભાવનગર શહેર સંગઠન, મહાનગર પાલિકાના પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા સદસ્યો, વરિષ્ટ આગેવાનો, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડ સંગઠન, તેમજ તમામ સેલ- મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહેશે તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયાની યાદી જણાવે છે.

Previous articleગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી તેમના કાર્યાલય પર લોકપ્રશ્નો સાંભળશે.
Next articleમામસા જીઆઈડીસીમાં પત્નીએ પતિને સળીયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો