શાસનસમ્રાટ સમુદાયના ગુરૂવરોની સવારે શહેરમાં નિકળેલી ઐતિહાસિક શોભાયાત્રા

85

ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસ સંઘ દ્વારા શાસન સમ્રાટ પૂજ્ય આચાર્ય વિજય નેમીસુરીશ્વરજી મહારાજ સમુદાયના ગુરુવરોનું ઐતિહાસિક સ્નેહમિલન યોજાયું છે એ નિમિત્તે આજે સવારે ગુરુવરોની ઐતિહાસીક શોભાયાત્રા કાઢવામાં આવી હતી સવારે વિદ્યાનગર જિનાલયથી નીકળી દાદાસાહેબ દેરાસર ખાતે શોભાયાત્રા પહોંચી હતી જેમાં જૈન સમાજના વિવિધ મંડળો, વિવિધ વિભાગો, બેન્ડ મંડળો તથા જૈન સમાજના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રાના સમગ્ર માર્ગ પર વિવિધ આકર્ષક રંગોળીઓ બનાવી ગુરૂવરોનુ ભવ્ય સ્વાગત સાથે વધામણા કરવામાં આવ્યા હતા દાદા સાહેબ જૈન દેરાસર ખાતે શાસન સમ્રાટ સમુદાયનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં મહારાજ સાહેબોએ પ્રવચનો કર્યા હતા.

Previous articleફાયર એનઓસી મામલે મહાપાલિકા દ્વારા સીલ મારવાનો સીલસીલો ફરી શરૂ
Next articleઅલગ અલગ નામે કંપનીઓ ખોલી રોકાણકારોને જાળમાં ફસાવી નાણાં ઓળવી જતાં ફરિયાદ દાખલ