આજે ભાવનગરમાં બે નવા કોરોનાના કેસ નોંધાયા, ૯ કોરોનાને માત આપી

80

શહેરમાં ૬ અને ગ્રામ્યમાં ૩ દર્દીઓ મળી કુલ ૯ એક્ટિવ કેસ
કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, આજે ભાવનગર જિલ્લામાં માત્ર ૨ કેસ નોંધાયા રાહત થઈ હતી, આજે ભાવનગર શહેરમાં ૨ પુરુષના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો. ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં ૬ અને તાલુકાઓમાં ૩ કેસ મળી કુલ ૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને ૬ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૩ દર્દી મળી કુલ ૯ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૩૮ કેસ પૈકી હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleરાજકોટમાં રૂ. ૯.૪૪ લાખના ભંગાર ચોરી પ્રકરણમાં ભાવનગરના ૯ ઝડપાયા
Next articleપાણી બચાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરોના નારા સાથે સોનગઢમાં જૈન વિદ્યાર્થીઓની રેલી