કોમન સર્વિસ સેન્ટર દ્રારા કેન્દ્ર સરકારના પ્રોજેકટ ’મેરા ગાંવ – મેરી ધરોહર’ પ્રોજેક્ટની ભાવનગર જીલ્લામાં શરૂઆત

65

ગ્રામ્ય જીવનના ધબકતા મૂલ્યો વિષે સર્વે તથા જાણકારી માટે તાલીમ યોજાઈ
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને સી.એસ.સી.ના માધ્યમથી સમગ્ર ભારતમાં મેરા ગાંવ – મેરી ધરોહર’ પ્રોજેક્ટ ભાવનગર જિલ્લામાં શરૂઆત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગામડામાં રહેલી પુરાતન સંસ્કૃતિ વિશે વર્તમાન પેઢી જાણે અને તેના મૂલ્યોને સમજે એ માટે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ જિલ્લાના વિવિધ ગામોમાં સાંસ્કૃતિક મૂલ્યોને અનુલક્ષીને દરેક ગામના સાંસ્કૃતિક વારસો, ઐતિહાસીક સ્થળો, ખાણી- પીણી, પહેરવેશ, ભાષા, કલા, કારીગીરી, લોક પારંપરિક ઉત્સવો, મેળા વિગેરે આ અંગે સામાજિક-સાંસ્કૃતિક અભ્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન માટે રમત ગમત અધિકારીશ્રી વિશાલભાઇ જોષીએ હાજર રહી પ્રેરણા પૂરી પાડી હતી. પાનવાડી આંબેડકર ભવન ખાતે સી.એસ.સી. ઇ-ગવર્નન્સના જિલ્લા મેનેજરશ્રી વિરમદેવસિંહ ગોહિલ, નિલેષભાઇ ગઢવાણા તેમજ કૃષ્ણકુમારસિંહ ગોહિલએ વિસ્તૃત માહીતી અને તાલીમ આપી હતી. તેમજ સી.એસ.સી. ની અન્ય સેવાઓની માહિતી પણ આપી હતી. આ તાલીમમાં ભાવનગર જીલ્લાના મોટી સંખ્યામાં વી.એલ.ઇ. ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleવિજ્ઞાનની સમજ સાથે જીવનશૈલીના મૂલ્યો અનિવાર્ય હોવા જોઈએ : રાજેન્દ્રસિંહ રાણા
Next articleઅભિનેત્રી મલાઈકા અરોરાએ ટફ યોગા પોઝ શેર કર્યા