દ્વારકા આપઘાત કરવા આવેલ ભાવનગરના આધેડને જગતમંદિર સુરક્ષા પોલીસે પકડી પરિવારને સોંપ્યા

70

દ્વારકાધીશ દર્શનની માનતા પુરી કરી આપઘાત કરી લઇશ તેવો પત્ર હાથ લાગતા પરિવારમાં દોડધામ : ગોમતી નદીમાં ઓટ હોય પાણી ન હોવાથી આપધાત કરવામાં વિલંબ થયો
યાત્રાધામ દ્વારકા આવેલ ભાવનગરના એક આધેડ આપઘાત કરે તે પહેલાં જ પોલીસે તેમને પકડી પાડી પરિવારને હવાલે કરતા એક માનવ જિનગી બચી ગઈ હતી.અને પરિવારે પણ હાંસકારો લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે.કે મુળ ભાવનગરમાં રહેતા વિવેકાનંદ પુરોહિત નામના આશરે ૬૨ વર્ષીય આધેડ ગઈકાલે રાતના સમયે એસટી બસ મારફતે પરિવારને જાણ કર્યા વગર દ્વારકા જવા નીકળ્યા હતા. દરમ્યાન સવારે પરિવાર ઉઠ્‌યા બાદ ધરના વડીલ નજર નહિ આવતા શોધખોળ હાથ ધરી હતી. ત્યા એકાએક એક પત્ર મળી આવ્યો હતો. જેમા વિવેકાનંદે પોતે દ્વારકા ભગવાન દ્વારીકાધીશના દર્શન કરવાની માનતા હોય, તેથી ત્યા જવા નીકળ્યા હોય, અને દર્શન બાદ આપધાત કરી લેશે. તેવો ઉલ્લેખ કર્યો હતો. આ પત્ર વાંચી પરિવાર બેબાકળા થઈ ગયો હતો. અને તાત્કાલિક દ્વારકા પોલીસને જાણ કરી હતી. તેથી જગતમંદિર સુરક્ષા પોલીસના ડીવાયએસપી સમીર સારડાની સુચનાથી પીઆઈ પી.એ.પરમાર તથા મહિલા પીએસઆઇ ગઢવી તુરત જ પોલીસ જવાનો તથા મંદિરના તમામ કમૅચારીઓને વિવેકાનંદના ફોટા સાથે શોધવાનું શરૂ કરી દીધું હતું. અને જગત મંદિરના મેઈન ગેઈટથી અંદર આવતા તમામ યાત્રીકોને તપાસ કરતા, જીઆરડી સભ્ય ભારતી બહેન ચાનપા તથા નટુ પરમાર તથા સીક્યુરીટી દિલીપભાઇ સુમણીયાના ધ્યાન ઊપર આવતા વિવેકાનંદને પકડી લઈ તેમને મંદિર ચોકી ઊપર લાવી મહિલા પીએસઆઈ ગઢવી તેમજ એએસઆઈ એચ.એમ જોષીએ પરિવારને જાણ કરી હતી. અને વિવેકાનંદને આપધાત ન કરવાનું સમજાવી પરિવારને સુપર્ત કર્યા હતા. જેથી ચોવીસ કલાકથી આક્રંદ કરતા પરિવારનો સુખદ અંત આવ્યો હતો.

Previous articleરાજ્ય સરકારના બજેટને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ શખ્સ શબ્દોમાં વખોડી કાઢ્યુ
Next articleભાંગલીગેટ નજીક કારને નડ્યો અકસ્માત