આજથી શહેરમાં ૩ દિવસ ૬ કલાક લાઈટ કાપ રહેશે

89

ખારી, રેલવે અને વિદ્યાનગર ફીડરમાં વીજ રિપેરીંગની થશે : બાયો મેડીકલ વેસ્ટ પ્લાન્ટ, અક્ષરપાર્ક, ગાંધી કોલોની, વિદ્યાનગર પોલીસ લાઈન અને આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો મળી શકશે નહીં
શહેરમાં વીજ લાઈન ઉપર રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનારી હોવાથી જુદા-જુદા વિસ્તારમાં સોમવારથી ત્રણ દિવસ છ-છ કલાકનો વીજકાપ ઝીંકવામાં આવ્યો છે.
પીજીવીસીએલ સિટી-૧ કચેરી દ્વારા વીજ લાઈન ઉપર અગત્યની રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનારી હોવાથી તા.૭-૩ને સોમવારે ખાડી ફીડરના બાયો મેડીકલ વેસ્ટ પ્લાન્ટ અને હેંજર બાયો મેડીકલ તથા આજુબાજુનો વિસ્તાર તેમજ તા.૮-૩ને મંગળવારે રેલવે ફીડરના અક્ષરપાર્ક અને આસપાસનો વિસ્તાર અને તા.૯-૩ને બુધવારે વિદ્યાનગર ફીડર હેઠળના ગાંધી કોલોની, શ્યામલ ફ્લેટ, વિદ્યાનગર પોલીસ લાઈન તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં સવારે ૭થી બપોરના ૧ કલાક સુધી લાઈટ કાપ રહેશે તેમ જણાવાયું છે.

Previous articleગંગાજળીયા પોલીસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે એસ.પી.ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
Next articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા બે કેસ નોંધાયા