ભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એક કેસ નોંધાયો

54

શહેરમાં ૬ અને ગ્રામ્યમાં ૦ દર્દીઓ મળી કુલ ૬ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ છે. આજે ભાવનગર જિલ્લામાં એક સ્ત્રીનો કેસ નોંધાયા હતો.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૬ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૬ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૪૬ કેસ પૈકી હાલ ૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleશહેરના કુંભારવાડા વિસ્તારમાં જીવ જોખમમાં મૂકી કામ કરતાં શ્રમજીવીઓની દયનીય દશા…!!!
Next articleસાળંગપુર હનુમાનજી મંદિરે ફિલ્મ અભિનેતા અને ડાયરેક્ટર મહેશ માંજરેકર પરિવાર સાથે આવી પહોંચ્યા