ભાવનગર ફરી એકવાર કોરોનામુક્ત થયો, સાતમાં દિવસે કેસ ન નોંધાતા રાહત

79

અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૩૫૯ દર્દીઓનું અવસાન થયા
ભાવનગરમાં આજે એક દર્દી ડિસ્ચાર્જ કરતા આજે ફરી એક વખત ભાવનગર જિલ્લા કોરોનામુક્ત થયો હતો, ભાવનગર જિલ્લામાં સતત સાતમાં દિવસે એકપણ કોરોનાનો કેસ ન નોંધાતા રાહત થઈ હતી. જિલ્લા ૨૮ ફેબ્રુઆરીના દિવસ કોરોના મુક્ત થયું છે, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૯ હજાર ૨૫૧ થવા પામી છે. આજે ભાવનગર જિલ્લામાં સતત સાત દિવસ થી એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ ન નોંધાતા રાહત થઈ હતી, જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૫૧ કેસ પૈકી હાલ ૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleભાવનગરના વતની બે પોલીસ અધિકારી IPS માટે થશે નોમીનેટ
Next article૧૧૦૦ બોટલ રક્તદાનના સંકલ્પ સાથે સિહોરમાં ઉજવાયો સાંસદનો જન્મદિવસ