પાલિતાણા તા.પં.ના ઓરડાઓ જર્જરીત અકસમાત સર્જાય તો જવાબદાર કોણ ?

1098

પાલિતાણા તાલુકા પંચાયતમાં આવેલ ૯ પૈકી ૪ અરોડા અતિ જર્ઝરીત હાલતમાં છે. ૪ પૈકી ૧ ઓરડામાં બાંધકામ શાળાના સરકારી કર્મચારીઓ બેસે છે. ૪ ઓરડામાં બેસનાર કર્મચારી જીવ તાળવે ચોટેલા હોય છે. કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ આખા તાલુકાને ગ્રાન્ટ આપનાર અને સરકાર પાસેથી ગ્રાન્ટ મંજુર કરાવનાર પોતાના કામ માટે ગ્રાન્ટ અને મજુરીની રાહમાં બેસવું પડે છે. ! સ્લેબમાં લોખંડના સળીયા દેખાવા લાગ્યા હોય તેમ છતાં હજુ સુધી કોઈ મંજુરી આવી નથી. આગામી સમયમાં ચોમાસુ શરૂ થતું હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જરૂરી પગલા ભરાય તેવું કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે.

Previous articleબાર જયોર્તિલીંગની યાત્રા માત્ર ૯ દિવસમાં પૂર્ણ કરી પરત ફર્યા
Next articleમેડિકલ કોલેજમા આર્યુર્વેદિક ઉદ્યાન બનાવાયું