સિહોર ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં ધર્મ સંદેશ સભાનું આયોજન કરવામાં આવ્યું.

56

તા.17-04-22 ના રોજ રવિવારે રાત્રે 9.00 કલાકે સિહોર મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા ધર્મ સંદેશ સભાનું આયોજન કરાયું જેમાં વસંતભાઈ શાસ્ત્રી, અમ્રિત દાસજી , ભાવનગર જિલ્લા કાર્યવાહ વિપુલભાઇ જોશી, સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક દેવેન્દ્રભાઈ દવે, નરહરિભાઈ રામાનુજ તેમજ ધર્મપ્રેમી લોકોની વિશેષ ઉપસ્થિત રહી હતી. આમંત્રણને માન આપીને પધારેલ મહાનુભાવોનું ફુલહારોથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ અશોકભાઈ ચાવડા દ્વારા શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વસંતભાઈ શસ્ત્રીએ હિન્દૂ પુરાણો, ધર્મગ્રંથો વિશે ગહન વક્તવ્ય આપ્યું, તેમજ જીજ્ઞેશભાઈ કંડોલીયા દ્વારા સામાજિક સમરસતા બાબતે , તેમજ વિપુલભાઈ જોશીએ ભારતના ઇતિહાસ વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમજ ધર્મેશભાઈ નિમાવત દ્વારા આ કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.

Previous articleજીએસટીનો પાંચ ટકાનો સ્લેબ રદ કરી ૩-૮ ટકાના સ્લેબની શક્યતા
Next articleરાજસ્થાનના જોધપુર ખાતે યોજાયેલી તરણ સ્પર્ધામાં ભાવનગરની વિદ્યાર્થિનીએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પાંચ મેડલ જીત્યા