રાજયમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ

790

 

ભાવનગર શહેરમાં ગૌશાળા મોક્ષ મંદિરમાં શેડનુ લોકાર્પણ રાજય સરકારના મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે પુર્વ વિસ્તારના કાર્યકર્તાઓ અને લોકોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતુ.

વિભાવરીબેન દવેના પુર્વ વિસ્તારમાં વિવિધ વિકાસોના કામોમાં પુર્વ વિસ્તારના વિવિધ રોડ અને પેવર બ્લોક નાખવાના કામો રામનગર-રામદેવનગર, યોગીનગર, બાળયોગીનગર, નિલકમલ ટેનામેન્ટ, નારેશ્વર સોસાયટી, મંગલમુર્તિ ટેનામેન્ટ અને વિજયનગર કોલોની ખાતે વિવિધ વિકાસના કામો પેવર બ્લોક નાખવાના કામોનુ લોકાર્પણ – ઉદ્ઘધાટન કરવામાં આવ્યુ હતુ. તેમજ નવી આંગણવાડીનું પણ ખાતમુર્હત પણ કરવામાં આવ્યુ હતુ.  આ વિવિધ વિકાસના લોકાર્પણ કાર્યક્રમમાં ભાવનગરના મેયર નિમુબેન બાંભણીયા, નગર સેવક અભયભાઇ ચૌહાણ, વોર્ડ પ્રમુખ બળદેવભાઇ, વોર્ડના મહામંત્રી કુલદીપભાઇ, આદિજાતિ મોરચો શહેર પ્રમુખ હરેશભાઇ, ટ્રસ્ટીઓ ભુપતભાઇ, લક્ષ્મણભાઇ અને લોકો મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા.

Previous articleપાલિતાણામાં પાન-માવા, સિગારેટ ગુટખાનું વેંચાણ કરતા ગલ્લા પર ચેકીંગ હાથ ધરાયું
Next articleઅંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ૧ દિકરીઓના સમુહલગ્ન યોજાયા