સુભાષનગર વિસ્તારમાં સગીરની હત્યા પ્રકરણે એક સગીર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

74

આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગ કરાશે
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા સગીરની નાણાકીય લેતીદેતી મામલે સુભાષનગર મા ત્રણ શખ્સોએ હત્યા કરી હતી તથા તેના મિત્ર ને ગંભીર ઈજા પહોંચાડી હતી આ ઘટનામાં બી-ડીવીઝન પોલીસે એક સગીર તથા બે યુવાન મળી ત્રણ આરોપીઓની ધડપકડ કરી છે.સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૨૬ એપ્રિલ ની રાત્રે શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતો ઉમેશ ભરત ચૌહાણ તથા તેનો મિત્ર પૂજન અજય રાઠોડ પૈસાની લેતી દેતી મામલે સુભાષનગર વિસ્તારમાં રહેતા રોહિત ઉર્ફે ચનો બારૈયા ને મળવા આવ્યા હતા જયાં પૂર્વ આયોજિત કાવત્રા મુજબ ચનાએ તેના સાગરિતો જેમાં યશ અરજણ આલગોતર તથા એક સગીર સાથે મળી ઉમેશ સાથે ઝઘડો કરી પાઈપ સહિતના હથિયારો વડે ઉમેશ પર તૂટી પડ્યાં હતાં. જેમાં બચાવવા પડેલ પૂજનને પણ આરોપીઓએ મરણતોલ માર માર્યો હતો દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલ ઉમેશે સ્થળપર દમ તોડ્યો હતો જયારે ગંભીર રીતે ઘવાયેલ પૂજનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે રોહિત ઉર્ફે ચનો યશ અરજણ આલગોતર તથા એક સગીરની ધડપકડ કરી હતી. જેમાં સગીરને બાળ ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી ચના તથા યશની પુછપરછ હાથ ધરી છે આ આરોપી ઓમાં સગીરની જુનેવાઈલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તથા રોહિત ઉર્ફે ચના તથા યશને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ ની માંગ કરવામાં આવશે તેમ ડીવાયએસપી સફિન હસને જણાવ્યું હતું.

Previous articleટ્રેનમાંથી પડી ગયેલા પરપ્રાંતીય બાળકને સિહોર પોલીસે બચાવી વાલીને સોપ્યુ
Next articleબહેન, મમ્મી અને નણંદ સાથે કાજોલની ગર્લ્સ ડેટ