ભાવનગર શહેર આજે એક દર્દી ડિસ્ચાર્જ થતા શહેર ફરી એક વાર કોરોનામુક્ત થયું

51

ભાવ. જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, ભાવનગર શહેરમાં આજે એકપણ કેસ ન નોંધાયો રાહત થઈ છે અને આજે શહેરમાં એક કેસ હતો તે પણ ડિસ્ચાર્જ થતા ભાવનગર શહેર ફરી એકવાર કોરોનામુક્ત થયું છે, ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો, ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૦ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૦ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૫૪ કેસ પૈકી હાલ ૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleસિહોરમાંથી ઝડપાયેલા ગાંજા સાથે કનેક્શન ખુલતા ઉંડવીનો શખ્સ ફરાર
Next articleરાજ્યમાં ૪૫ ડીગ્રી ગરમીમાં ડેમો સુકાયા, ઉ.ગુજરાત-કચ્છમાં પાણીનો પોકાર, ૧૫ ડેમમાં ૧૩ ટકા પાણી બચ્યું