તાપીબાઇ વિકાસ ગૃહ સંસ્થામાંથી લગ્ન કરાવેલ પાંચ દંપતીઓ પણ દીકરીઓને પ્રોત્સાહિત કરવાં લગ્નમાં ઉપસ્થિત રહ્યાં

59

રાજ્ય સરકારના માનવતાવાદી અભિગમને કારણે જ આજે મારા જેવી દીકરીઓ મોટી થઈને પોતાના લગ્ન જીવનમાં સુખી છે – દંપતિ મનીષા અને અંકિત
આજે યોજાયેલાં લગ્ન સમારંભમાં તાપીબાઇ વિકાસ ગૃહમાં જ લાલન-પોષણ થઈને મોટી થયેલી અને આ સંસ્થા દ્વારા જ લગ્ન કરવાયેલ પાંચ દિકરીઓ તેમના પતિ સાથે લગ્નમાં હાજર રહી હતી. આવી રીતે જ વર્ષ:૨૦૧૮ માં અને રાજ્ય સરકારના સહકારથી લગ્ન બંધને જોડાયેલ દંપતિ મનીષા અને અંકિત જણાવે છે કે, અમારું ચાર વર્ષનું લગ્નજીવન ખૂબ સુખેથી પસાર થયું છે. અમારે એક છ માસનો દીકરો પણ છે. આજે આ જ સંસ્થામાં મોટી થયેલી એક દીકરી ગુંજન મારા ઘરે મારી નાની બેન અથવા તો દેરાણી બનીને આવી રહી છે. તેનો મને આનંદ છે.
એક જ સંસ્થામાં એકસાથે મોટી થયેલી અમે બંને બહેનો આવનારા સમયમાં પણ બહેન બનીને જ એકસાથે રહીશું. રાજ્ય સરકાર દ્વારા અમારાં જેવી નિરાધાર અને ત્યજાયેલી દીકરીઓ માટે આશ્રમશાળા અને વિકાસ ગૃહ જેવી સંસ્થાઓ બનાવીને અમારું જે રીતે લાલન- પોષણ કરે છે અને લગ્નની વય થયે ધામધૂમથી લગ્ન કરાવે છે. તે માટે આ સંવેદનશીલ સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે તેમ મનિષાબેને ગળગળા સ્વરે જણાવ્યું હતું.

Previous articleવિકાસ ગૃહની દીકરીઓ અનાથ નથી, સમગ્ર સમાજ તેનો વાલી છે- શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
Next articleસમાજના અદકેરા કાર્યમાં ભાવનગરનું મીડિયા પણ જોડાયું