ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તાર માં રહેતા અને ટ્રાફિક માં બીગ્રેડ તરીકે ફરજ બજાવતા યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત કરી લેતા બ્રિગેડ જવાનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારના શિવાજી સર્કલ રામાપીર ના મંદિર ના ખાંચામાં રહેતા અને ટ્રાફિક બ્રિગેડમાં છેલ્લા ઘણા સમયથી નોકરીમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાન ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ મોરી ઉ.વ.31એ આજરોજ તેના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, ટ્રાફિક બ્રિગેડ માં ફરજ બજાવતા યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ બીગ્રેડના જવાનો અને ટ્રાફિક પોલીસમાં શોક નું મોજું ફરી વળ્યુ હતું. આ અંગે ઘોઘા રોડ પોસ્ટમાં અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.