મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના એક્ષ્ટર્નલ વિભાગની પરીક્ષાઓની તારીખ જાહેર કરવા માગ

36

યુનિવર્સિટીના કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાહ્ય અભ્યાસક્રમ ડીપાર્ટમેન્ટમા વિવિધ બેચલર તેમજ માસ્ટર કોર્સમાં વિધાર્થીઓ એડમિશન લેતા હોય છે. આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમમા વિધાર્થીઓએ એડમિશન લીધેલ છે. બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં જે વિધાર્થીઓ અન્ય જગ્યાએ કે સરકારી કચેરીઓ શિક્ષક કે આર્મી કે પોલીસમાં સેવા કરી રહ્યા હોય તેવા વિધાર્થીઓની સંખ્યા વધુ હોય છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા જૂન મહિનામાં પરીક્ષા લેવા અંગેની જાહેરાત કરેલ પરતું આજ તારીખ સુધી કોઈ કાર્યક્રમ જાહેર કરેલ નથી. જેથી વિધાર્થીઓની પરીક્ષા કયારે લેવાશે તે અંગે વિધાર્થીઓ અસમંજસમાં છે. સાથે વિધાર્થીઓ જે અન્ય સરકારી કે આર્મીમાં સેવા કરી રહ્યા છે તેવા વિધાર્થીઓએ પરીક્ષાના 15 દિવસ પહેલા તેમની કચેરી કે ઉપરી અધિકારી પાસે રજા રાખવાની હોય છે જે અંગે પણ વિધાર્થીઓને કયારે રજા રાખવી તે અંગે જાણ થઇ શકતી નથી. કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, વિષયની ગંભીરતાને ધ્યાન પર રાખીને બાહ્ય અભ્યાસક્રમના વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાના ટાઈમ ટેબલ વહેલી તકે જાહેર કરવામાં આવે અને વિધાર્થીને રજા રાખી શકે તેવી રીતે પુરતો સમય પણ પરીક્ષા માટે ફાળવવા કોર્ટ સભ્ય દ્વારા માંગ કરવામાં આવી હતી.

Previous articleકેન્દ્ર સરકારના 8 વર્ષ  સેવા અને સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત ભાવનગર શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
Next articleભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં શિક્ષણમંત્રીએ જે રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું તે જ રસ્તો ગણતરીના દિવસોમાં તૂટવા લાગ્યો, સ્થાનિકોએ કામ બંધ કરાવ્યું