GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

20

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૧. ‘ભોળી રે ભરવાડણ….’ પદના રચયિતા કોણ છે ?

– મીરાબાઈ
૩૨. ‘થીંગડું’ વાર્તાના લેખક કોણ છે ?

– સુરેશ જોશી
૩૩. ગુજરાતીમાં સૌપ્રથમ ‘ભણકારા’ એ સોનેટ સંગ્રહના લેખક કોણ ?

– બ.ક.ઠાકર
૩૪.‘પૂર્વાલાપ’ના રચયિતા કોણ છે ?

– મણિશંકર રત્નજી ભટ્ટ
૩૫. કયા પુસ્તકના લેખક ક.મા. મુનશી છે ?

– રાજાધિરાજ
૩૬. ‘અખોવન’ કૃતિ કોની છે ?

– ગુણવંતરાય આચાર્ય
૩૭. કોનું તખલ્લુસ ‘ઈર્શાદ’ છે ?

– ચિનુ મોદી
૩૮. ‘સુંદરમ્‌’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?
– ત્રિભુવન લુહાર
૩૯. લોહીની સગાઈ – વાર્તા કયા લેખની છે ?
– ઈશ્વર પેટલીકર
૪૦. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોની કૃતિ છે ?
– નારાયણ દેસાઈ
૪૧. જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ?
– હાઈકુ
૪૨. પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ?
– ઓખાહરણ
૪૩. ‘આગગાડી’ના રચયિતા કોણ છે ?
– ચંદ્રવદન મહેતા
૪૪. ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ‘હાસ્યસમ્રાટ’નું બિરૂદ કોને મળ્યું છે.
– રતિલાલ બોરીસાગર
૪૫. મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો
– દર્શક
૪૬. ‘રેતીની રોટલી’ નામે હાસ્ય નિબંધ કોણે લખ્યો છે ?
– જયતોન્દ્ર દવે
૪૭. ‘લોહીની સગાઈ’ વાર્તાના લેખક કોણ છે ?
– ઈશ્વર પેટલીકર
૪૮. ‘સારસ્વત’ ઉપનામ કયા લેખકનું છે ?
– પુરૂરાજ જોષી
૪૯. ગુજરાતી સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
– બ.કા.ઠાકોર
૫૦. ગુજરાતી સાહિત્ય પરિષદ દર સામે કયુ સામયિક બહાર પાડે છે.
– પરબ
૫૧.‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ’ આ પંકિત કયા કવિની છે ?
– કવિ બોટાદકર
૫૨.‘ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત’ ના કવિ કોણ છે ?
– ખબરદાર
૫૩. ગુજરાત પાઠયપુસ્તક મંડળનું સામયિક કયું છે ?
– બાલસૃષ્ટિ
૫૪. કાવ્યમાં યતિ કોને કહેવાય ?
– કાવ્યમાં કયાંક વિરામ લેવાય તે
૫૫. પંદર માત્રા કયા છંદમાં છે ?
– ચોપાઈ
૫૬. ‘પુસ્તક દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
– ર૩ એપ્રિલ
૫૭. માનવ અર્થશાસ્ત્રના લેખક કોણ છે ?
– નરહરિ પરીખ
૫૮. ‘વાસુકી’ ઉપનામ કયા સર્જકનું છે ?
– ઉમાશંકર જોશી
૫૯. કયા સર્જકને ‘અમીરી નગરીના ગરીબ ફકીર’ નું બિરૂદ મળેલું છે ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
૬૦. વેદોને બીજા કયા નામે ઓળખાય છે ?
– શ્રુતિ

Previous articleરેડક્રોસ દ્વારા તમાકુ નિષેધ દિન ઉજવાયો
Next articleરાજ્યસભાની ૧૬ બેઠકોની આજે ચૂંટણી