ભાવનગરમાં શહેર આજે ૬ કોરોનાનો નવા કેસ નોંધાયો

19

ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, ભાવનગર શહેરમાં આજે કોરોનાનો નવા ૬ કેસ નોંધાયો હતા, ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો, જેમાં આજે શહેરમાં ૫ સ્ત્રી અને ૧ પુરુષ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૧૨ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૧૨ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૬૭ કેસ પૈકી હાલ ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૬૧ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleએમ.કે.બી. યુનિ.ની ધિરાણ અને ગ્રાહક મંડળી દ્વારા સેવા નિવૃત્ત સભાસદોનું અભિવાદન કરાયું
Next articleસણોસરાના યુવાને ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ ખોલી યુવતીને બદનામ કરી