મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થતા સિહોરમાં ભાજપ દ્વારા આતશબાજી

920

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારને ચાર વર્ષ પુરા થયા છે અને જેની ઉજવણી તમામ રાજ્યોના મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહી છે આજે મોદી સરકારની ૪થી વર્ષગાંઠે ભાજપે દાવો કર્યો છે કે ખેડૂતો મહિલાઓ યુવાનોના કલ્યાણ માટે ખૂબ સારું કામ કરીને સામાજિક ન્યાય આપવાનો અને સારી આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા તમામ પ્રયાસો કર્યા છે અને હજુ પણ આવતા દિવસોમાં ઘણુ બધુ કરવાનું બાકી હોવાનો દાવો કર્યો છે આજે પક્ષે પોતાની સીધી અનુલક્ષી સાફ નિયત સહી વિકાસનું સૂત્ર વહેતુ મૂકીને ૨૦૧૯ નો શંખનાદ ફુક્યો છે ત્યારે ચાર વર્ષ પૂર્ણની ઉજવણીઓ ઠેર ઠેર થઈ રહી છે આજે ભાવનગરના સિહોરના વડલા ચોકમાં ભારે આતશબાજી કરવામાં આવી હતી. જેમાં આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleછપ્પન ભોગનો બડો મનોરથ
Next articleએએનસી મધરને મીઠાનું વિતરણ