આમ આદમી પાર્ટીના ૧૪૦થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો

21

રાજ્યસભા સાંસદ-રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલના હસ્તે સન્માનિત કરાયા
આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે માત્ર ભાજપ જ નહિં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ કાર્યકર્તાઓનું આવા-ગમન શરૂ થયું છે. તાજેતરમાં ભાજપની વિદ્યાર્થી પાંખના કેટલાક કાર્યકરો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇમાં જોડાયા હતાં. બીજી બાજુ આમ આદમી પાર્ટીમાંથી ૧૪૦થી વધુ કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસના હાથ સાથે હાથ મેળવતા ગઇકાલે શહેરમાં શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં તેઓને સન્માનિત કરાયા હતાં. કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ૧૪૨ કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસના નવા સંગઠનમાં તેમજ રાજ્યકક્ષાએ સ્થાન મેળવેલા કોંગ્રેસના આગેવાનો તેમજ તાજેતરમાં એબીવીપીમાંથી એનએસયુઆઇમાં જોડાયેલા વિદ્યાર્થી આગેવાનોનું શક્તિસિંહ ગોહિલના હસ્તે સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના ૧૪૨ કાર્યકરો આગેવાનો અને એક મહિલા આગેવાન આપમાંથી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા તેઓનું ખેસ પહેરાવી બહુમાન કર્યું હતું. કાર્યક્રમ દરમ્યાન શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા કાર્યકરોને સંબોધ્યા હતા. તેમજ શાસક ભાજપ પર ચાબખા વિંઝ્‌યા હતાં.

Previous articleઆપનો અનોખો વિરોધ : ભાજપના નેતાઓના પોસ્ટરને ખાડામાં પુર્યાં !
Next articleભાવનગરમાં આજે એક સાથે ૨૭ કોરોનાનો નવા કેસ નોંધાયા