ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામે તિરંગો ફરકાવી “હર ઘર તિરંગા” નો નારો બુલંદ કર્યો

45

દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં આહવાન હેઠળ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા ૧૩/૦૮/૨૦૨૨ શનિવારના રોજ ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામે ત્રિરંગા યાત્રા યોજાઈ આ કાર્યક્રમના ભાગરૂપે નાના ખોખરા ગામે શાળાના આચાર્ય મનજીભાઈ તથા શિક્ષણ ગણ અને ગામના યુવાનો અને આગેવાનો અને બાળકો સહિત તિરંગા યાત્રાની મહારેલી યોજાઇ હતી આ ખાસ પ્રસંગે ગામના સરપંચ અને ઘોઘા તાલુકાના પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મહાવીર સિંહ ગોહિલે વિશેષ હાજર રહી અને કાર્યક્રમને દીપાવ્યો હતો
સમગ્ર દેશમાં એક જ નારો ગુંજી રહ્યો છે… હર ઘર તિરંગા… વંદે માતરમ…ભારત માતા કીજય… જય હિન્દ….
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર…

Previous articleશિહોરના ભાખલ ડુંગરાળ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે આકાશમાં મેઘ ધનુષ નોઅદ્દભુત નજારો જોવા મળ્યો
Next articleશિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે બ્રાહમણો દ્રારા વિધિપુર્વક જનોઇ બદલી.