શહેરના દેસાઈનગર ખાતે ગેસ લાઈનમાં ભંગાણ થતાં દોડધામ

1067

શહેરના રાજકોટ રોડ પર આવેલ દેસાઈનગર પાસે અકસ્માતે ગેસલાઈન તુટતા અફડાતફડી મચી જવા પામી હતી. જેમાં જીજીપીએલ દ્વારા લીકેજ બંધ કર્યુ હતું.

ભાવનગર શહેરના રાજકોટ રોડ પર આવેલ દેસાઈનગર પેટ્રોલપંપ નજીક આવેલ ગટરની કેનાલની તંત્ર દ્વારા પ્રિમોન્સુન તથા સુજલામ સુફલામ યોજના હેઠળ સફાઈ હાથ ધરવામાં આવી હતી.જેમાં જેસીબી દ્વારા કેનાલમાંથી ગંદકી દુર કરવામાં આવી રહી હતી તે વેળા અકસ્માતે એલપીજી ગેસનું વહન કરતી લાઈન તુટતા ગેસનો રીસાવ શરૂ થયો હતો. આ ઘટનાને પગલે જેસીબીનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડી નાસી છુટ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરબ્રિગેડએ ગુજરાત ગેસ પ્રા.લિ.ના અધિકારીને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મેઈન લાઈનનો પ્રવાહ બંધ કરી લાઈનનું સમારકામ કર્યુ હતું.

Previous articleગારીયાધારમાંથી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
Next articleજગન્નાથજી રથયાત્રાના આગમનનાં એંધાણ