જાગધાર ગામ નજીક નાળા સાથે કાર અથડાતા ૧નું મોત : ૬ને ઈજા

1714

મહુવા-તળાજા હાઈવે પર ગત મોડીરાત્રે સ્વીફ્ટ કારના ચાલકે કાબુ ગુમાવતા કારના ચાલકે કાબુ ગુમાવતા કાર નાળા સાથે અથડાતા કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજવા પામ્યુ હતું જ્યારે નાળા પર કામ કરી રહેલા છ પરપ્રાંતીય શ્રમીકોને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રાપ્ત વિગત મુજબ ગતમોડીરાત્રે મહુવા-તળાજા હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહેલ સ્વીફ્ટ કાર નં.જીજે ૪ એ.એમ. ૮૧૨૫ના ચાલક ભગીભાઈએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર જાગધાર ગામ પાસેના નાળા સાથે ધડાકાભેર અથડાઈ હતી. બનાવ બનતાં કારમાં સવાર જીવણભાઈ મોહનભાઈ શીયાળ ઉ.૩૨નું સ્થળ પર જ કરૂણમોત નીપજ્યુ હતું જ્યારે નાળા પર કામ કરી રહેલા શંકરભાઈ રામજીભાઈ રે. રાજસ્થાન, ભુરૂભાઈ સરપોદા રે. રાજસ્થાન, મગનભાઈ બોઘાભાઈ, અને કાળુભાઈ કાનજીભાઈ સહીતનાને ઈજાઓ થાત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતાં દાઠા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Previous articleઈંધણના ભાવોમાં વધારો થતા શાકભાજીના ભાવો આસમાને
Next articleવનરાજા આજથી ચારમાસના વેકેશન પર