GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2716

ઈતિહાસ
૧૭૬ રાજા અજાતશત્રુનો વૈધ કોણ હતો?
– જીવક
૧૭૭ કયો સ્તૂપ ભારતીય કલાનો ઉત્તમ નમુનો ગણાય છે?
– સાંચીનો સ્તૂપ
૧૭૮ કયો સ્તંભ વિશ્વમાં અજોડ છે?
– સારનાથનો
૧૭૯ સારનાથના સ્તંભમાં કેટલા સિંહની આકૃતિ છે?
– ચાર
૧૮૦ ગુપ્તવંશનો પ્રથમ સ્વતંત્ર રાજવી કોણ હતો?
– ચંદ્રગુપ્ત પહેલો
૧૮૧ કયો યુગ પ્રાચીન ભારતના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે?
– ગુપ્તયુગ
૧૮૨ કયો લોહસ્તંભ ધાતુ, કલા અને રસાયણવિજ્ઞાનની નિપુણતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?
– મહરોલી ( દિલ્હીનો) લોહ્‌સ્તંભ
૧૮૩ ગુપ્ત યુગનો છેલ્લો પ્રતાપી રાજવી કોણ હતો?
– સમ્રાટ સ્કંદગુપ્ત
૧૮૪ હર્ષચરિત ગ્રંથ કોણે લખ્યું?
– બાણભટ્ટ
૧૮૫ કાદમ્બરી ના રચયિતા કોણ હતા?
– બાણભટ્ટ
૧૮૬ ગયા વિશ્વવિદ્યાલયમા શાનું શિક્ષણ અપાતું?
– ધાર્મિક શિક્ષણ
૧૮૭ તક્ષશિલા વિદ્યાપીઠમાં શાનું શિક્ષણ અપાતું?
– ચિકિત્સાશાસ્ત્રનું
૧૮૮ હ્યુએનસાંગના માટે તત્કાલીન વિશ્વની સૌથી મોટી અને સમૃદ્ધ વિદ્યાપીઠ કઈ હતી?
– નાલંદા
૧૮૯ નાલંદાનું પુસ્તકાલય કયા નામે પ્રસિદ્ધ હતું?
– ધર્મગંજ
૧૯૦ હર્ષકાલીન ભારતનું સૌથી વ્યસ્ત બંદર કયું હતું?
– તામ્રલિપિ
૧૯૧ વ્યાપારવિનિમય માટે કયા સિક્કાનું પ્રચલન હતું?
– સોના ચાંદીના
૧૯૨ ગુપ્ત સમ્રાટો કયા ધર્મના અનુયાયીઓ હતા?
– વૈષ્ણવધર્મના
૧૯૩ કામસૂત્રના રચયિતા કોણ હતા?
– વાત્સ્યાયન
૧૯૪ પંચતંત્રના રચયિતા કોણ હતા?
– વિષ્ણુ શર્મા
૧૯૫ અભિજ્ઞાન શાકુંતલમના રચયિતા કોણ હતા?
– મહાકવિ કાલિદાસ
૧૯૬ કયો યુગ પ્રાચીન ભારતના સાહિત્યનો સુવર્ણયુગ ગણાય છે?
– ગુપ્ત યુગ
૧૯૭ મણીમેખલાઈ કયા સાહિત્યની મુખ્ય કૃતિ છે?
– સંગમ સાહિત્ય
૧૯૮ અજંતાની ચિત્રકલાનો પ્રાણ કોણ છે?
– ભગવાન બુદ્ધ
૧૯૯ ગુપ્ત યુગના સૌપ્રથમ સિક્કા કયા ગણાય છે?
– લિચ્છવી સિક્કા
૨૦૦ ભારતના પ્રથમ ખગોળશાસ્ત્રી કોણ હતા ?
– આર્યભટ્ટ
૨૦૧ બ્રહ્મસિદ્ધાંતના રચયિતા કોણ ?
– બ્રહ્મગુપ્ત
૨૦૨ ગુપ્તયુગના મહાન ગણિતશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત છે?
– આર્યભટ્ટ
૨૦૩ રસચિકિત્સા પદ્ધતિના શોધક કોણ?
– નાગાર્જુન
૨૦૪ પારાની ભસ્મની શોધ કોણે કરી?
– નાગાર્જુન
૨૦૫ નાવજાતકમ નામનો અદભૂતગ્રંથ કોણે લખ્યો?
– ધન્વંતરી
૨૦૬ હાથી અને ઘોડા માટે કયા ગ્રંથો રચાયા?
– હસ્ત્યાયુર્વેદ અને અશ્વશાસ્ત્ર
૨૦૭ ગુપ્તયુગમાં ખેતી પર કેટલું મહેસુલ લેવામાં આવતુ ?
– ૧/૬
૨૦૮ ઇત્સિંગ ભારત કયા માર્ગે આવ્યો હતો?
– જળમાર્ગે
૨૦૯ ઇત્સિંગે કેટલા ગ્રંથોનું સંસ્કૃતમાંથી ચીન ભાષામાં ભાષાંતર કર્યું?
– લગભગ ૪૦૦ જેટલા ગ્રંથોનું
૨૧૦ હિંદના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે?
– સમ્રાટ સમુદ્રગુપ્ત

Previous articleબાવળીયાની જગ્યાએ ભાવનગરના નેતા કળસરીયા પર કોંગ્રેસની નજર
Next articleસેક્સી એમી જેક્સન હાલમાં નવી ફિલ્મને લઇ વ્યસ્ત બની