કુંભારવાડા શાળાના ૧૦૦ બાળકોને કીટનું વિતરણ

1627

શાળા ન ૧અને ૨ કુંભારવાડા સર્કલમાં શેક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ તેમજ વાલી મિટિંગ અને રુબેલા રસીકરણ એમ ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના મહામંત્રી મહેશભાઈ રાવલ તથા સ્ટેન્ડિંગ કમિટી  ચેરમેન યુવરાજસિંહ ગોહિલ તથા શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશભાઈ રાવલ તથા શાસક પક્ષના નેતા પરેશભાઈ પંડ્યા તથા આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભાઇ રાબડીયા તથા શિક્ષણ સમિતિ સદસ્ય અને ગુજરાત રાજ્ય પ્રદેશ ભાજપા યુવા મોરચા કારોબારી સભ્ય કમલેશ ઉલવા તથા નગરસેવક કાંતાબેન બોરીચા તથા વોર્ડ પ્રમુખ ઉષાબેન ગોહિલ તેમજ બહોળી સંખ્યામાં વાલી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. શેક્ષણિક કીટમાં ધોરણ ૧માં નવા પ્રવેશ મેળવનાર ૧૦૦ બાળકોને પાટી, વાંચન ગણનનીં પુસ્તિકા , પેન્સિલ, ફૂટપટ્ટી ,  રૂમાલ , પાટી-કાંકરા જેવી વસ્તુ આપવમાં આવેલ.

Previous articleબેદરકાર તંત્ર – લાચાર પ્રજા…!
Next articleકતપરના ગ્રામજનોનું છ દિવસથી ચાલતુ પવનચક્કી હટાવ આંદોલન