ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા ભંગારની હરરાજી કરાઈ

1989

ભાવનગર એસ.ટી. ડીવીઝન દ્વારા લાંબા સમયથી બિનઉપયોગી પડેલ વેસ્ટ સ્ક્રેપ-ભંગારની નિયમ મુજબ જાહેર હરરાજી દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું. ભાવનગર એસ.ટી. વિભાગના વિભાગીય યંત્રાલય (ચિત્રા, એસ.ટી. વર્કશોપ) ખાતે લાંબા સમયથી પડતર પડી રહેલ બિનઉપયોગી ભંગાર માલ સામાનની નિયમ અનુસાર હરરાજી ટેન્ડર જાહેર કરી આજરોજ ઓકસન દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું. આ હરરાજીમાં અનેક વેપારીઓ સ્ક્રેપની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

Previous articleવલ્ભીપુર નજીક પોલીસ વાને પલ્ટી ખાતા કુલ ૧રને ઈજા
Next articleરાજુલાના રાભડા ગામે તળાવ તુટતા ગામમાં પાણી ફરી વળ્યા